विषय – संस्कृतजनपदसम्मेलनम् 201 8 સાદર નમસ્કાર, સંસ્કૃતભાષાનો પ્રચાર પ્રસાર કરતી તથા લોકોને સંસ્કૃતભાષા બોલતા કરવા માટે મુખ્યત્વે સંભાષણ વર્ગો ચલાવી સંસ્થા તરીકે આપ સંસ્કૃતભારતીથી પરિચિત જ છો . આ વર્ષે સંસ્કૃતભારતીની અખિલભારતીય યોજનાનુસાર કાશ્મીરથી કન્યાકુમારી સુધી પ્રત્યેક જિલ્લામાં જિલ્લા સમ્મેલનો કરવામાં આવેલ, તે અંતર્ગત આપણા ગુજરાતમાં પણ જિલ્લા સમ્મેલન કરવામાં આવેલ, તે અંતર્ગત આપણા દરેક જીલ્લામાં વિવિધ સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક,ધાર્મિક સંસ્થાઓને સાંકળીને એક દિવસીય સંસ્કૃત સમ્મેલનનું આયોજન કરવામાં આવેલ. આ સમ્મેલનમાં સંસ્કૃત શોભાયાત્રા, સંસ્કૃત સાંસ્કૃતિક કાર્યક્રમો, સંસ્કૃતજ્ઞાનગંગા પ્રદર્શની જેવા વિભાગોમાં વિભાજિત છે.